મયાવતીનું ભત્રીજા સામે મોટું પગલું: આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજકના પદ પરથી હટાવ્યા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan08052024_043702_Mayawati-.webp)
- 08 May, 2024
લોકસભાની ચૂંટણી હાલ ચાલી રહી છે, એવા સમયે જ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ મયાવતીએ ભત્રીજા આકાશ આનંદ સામે મોટી કાર્યવાહી કરી છે. મયાવતીએ આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના ઉત્તરાધિકારીના પદ પરથી દૂર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે બસપા સુપ્રીમોએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આકાશને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતા માયવતીએ કહ્યું હતું કે આકાશ આનંદ જ્યાં સુધી સંપૂર્ણ પરિપકવ નહીં બને ત્યાં સુધી તેમને અગત્યની ગણાતી બંને જવાબદારીમાંથી દૂર રખાશે.
2. इसी क्रम में पार्टी में, अन्य लोगों को आगे बढ़ाने के साथ ही, श्री आकाश आनन्द को नेशनल कोओर्डिनेटर व अपना उत्तराधिकारी घोषित किया, किन्तु पार्टी व मूवमेन्ट के व्यापक हित में पूर्ण परिपक्वता (maturity) आने तक अभी उन्हें इन दोनों अहम जिम्मेदारियों से अलग किया जा रहा है।
— Mayawati (@Mayawati) May 7, 2024
હાલ એવા સવાલો ઉઠી રહ્યા છે કે લોકસભા ચૂંટણી વચ્ચે બસપામાં આ મોટા ફેરબદલનું કારણ શું છે. જ્યારે આકાશ આનંદને લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેને ખાસ કરીને યુપીમાં ભારે આકર્ષણ મળી રહ્યું હતું. લોકો તેની સભાઓમાં તેમને સાંભળવા આવતા હતા. બધાને લાગ્યું કે બસપા ફરી મોમેન્ટમ પાછું મેળવી રહી છે. પરંતુ આકાશ આનંદના છેલ્લાં કેટલાક નિવેદનોથી બસપાને ઘણું નુકસાન થયું હોવાનો દાવો હાલ કરાયો છે.
થોડા દિવસો અગાઉ તેમણે સીતાપુરમાં ભાજપ સરકારને 'આતંકની સરકાર' ગણાવી હતી. તે પછીથી આકાશ આનંદ સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આ સિવાય બે-ત્રણ જગ્યાએ નિવેદન આપતી વખતે આકાશ એટલો ઉશ્કેરાઈ ગયા કે તેમના મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા. તેમના બેફામ નિવેદનોની પણ ઘણી ટીકા થઈ રહી હતી, જેમાં 'જૂતા ફેંકીને મારવાનું મન થાય છે' જેવા નિવેદનો પણ સામેલ છે. એવું મનાય છે કે આકાશ આનંદના વિવાદિત નિવેદનોથી માયાવતી નારાજ છે. આકાશ આનંદની આ ભાષાશૈલી, તેમની રાજનીતિ કરવાની સ્ટાઈલ અને તેમના ભાષણો માયાવતીને અનુરૂપ નથી લાગી રહ્યા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ